મિત્રો આપને ,Happy2011 Year સાથે એક રચના રજુ કરું છું
પ્રેમ પામ્યો આપનો લ્યો દિલથી આભાર છે
સર્વ ને વહેચી દીધો તે પ્રેમનો વિસ્તાર છે
વર્ષ દશ વીત્યું પલકમાં પ્રેમનો આધાર છે
હો શુભેચ્છા પ્રેમ ધરશું અંક શુભ અગ્યાર છે
સર્વ ધર્મોમાં જગતનાં ઈશ તો આધાર છે
પ્રેમના આધારવિણ સર્જન નહિ સંહાર છે
તું પરી ! સર્વોપરી ને તું નયનતારા, પ્રિયે !
એક તારું નામ પણ સંબોધનો હજજાર છે
પ્રેમ છે તે તું જ છે ને તું જ છે તે પ્રેમ છે
પ્રેમ પ્રિયાનું સ્વરૂપ છે પ્રેમ સર્જનહાર છે !
આમ મોઢું ફેરવી લઇ ના જશો બહુ દૂર દૂર..
આંખના આંસુ કહે છે વ્હાલું, ઇન્તેઝાર છે
હર સ્થિતિમાં આપનું ચાહું અને ચાહ્યા કરીશ
તોલમાપ શાને કરો છો પ્રેમ ભારોભાર છે !
છોડશું ના એકમેકને અગણિત વચનો દીધાં
પ્રેમ મરતો કોઈ દિ ના પ્રેમ અપરંપાર છે
પ્રેમ સાચો જોડશે દિલ ના કદી પણતોડશે
રાગ દ્વેષો મોહ ત્યાં અંધાર છે અંગાર છે
પ્રેમ પુરતો એક થી છે તે ગલી અતિ સાંકડી
કોક ત્રીજું પેસતા તૂર્ત જ કરે દર્રાર છે !
તું નહી તો ઓર સહી ! ચહેરો રહે બદલાવતા
દોસ્તને તરછોડનારી બેવફાઈ વ્યભિચાર છે
હોય જુદા તે છતાયે એક સરખા મન બને
ગુણ દોષો ના નિહાળે પ્રેમ ના વ્યવહાર છે
આંખમાં તેની છબી લઈ નીરખી લે સર્વમાં
પ્યાર એક જ સાર છે નિસ્સાર આ સંસાર છે
બુદ્ધિ મનને ઇન્દ્રિયો ને શબ્દથી પર તે દીલીપ
આંસુથી તારા પરે સૌ સીમથી પણ પાર છે
-દિલીપ ગજજર
૩૧.૧૨.૨૦૧૦
ओ साथी रे तेरे बीना भी क्या जीना…
to Listen this song clik geetgunjan link on leftside blogroll..
ચિંતનિકા……….૨૦૧૧ આપણ્ ને સંદેશ આપે છે..હૂં એકલો નથી ..તું પણ છે માટે બે છે..પણ માણસ એકલતાથી પીડાતો રહે અને દુખ ભયનો માર્યો ફરિયાદ કરતો રહે કે….કે અય ખૂદા મે તેરી દુનિયામેં તનહા રહ ગયા..પણ તે તો કહે જ છે હું પણ છું તારી સાથે સુખ દુઃખમાં પણ મૂઢ માનવ તેને બહાર વિષય વાસના મોહનો માર્યો ક્ષણીક સ્વપનમાં શોધતો ફરે છે અને થાકીને લોથપોથ થઈ એક્ની એક ભૂલ વારમ્વાર કરે છે.. એકને તરછોડી કૂટેવ મુજબ બીજામાં તે પ્રેમ આશા રાખે છે બીજો મને સુખી કરશે તેવી આશા રાખે છે પરન્તું બીજાનું બીજાપણું દૂર નથી થતુ કેમ કે તેનામાં મોટ્ટોમસ ઈગો- અહંકાર છે.. અને બીજાની વ્રુત્તિ પણ અશુદ્ધ હોય શકે..આ ઈગો થોડો સમય પણ આડો પડૅ તો એક પુલ બની જાય..આઈ આડૉ થાય તો જેમ બ્રિજ બની જાય અને ..શૂન્ય થાય તો બે વ્યકતિ થોડો સમય પણ એક બની સહે એક સાથે આવી જાય,.. એક વત્તા એક તો બે જ થાય પણ એક સાથે આવતા અગિયાર થઈ જાય શુભ ઘટના સર્જાય જાય.ટૂંકમા બે છે તે એક અદ્વૈત બની જાય જો અહંશૂન્યતા આવે કાં તો પ્રેમ નિમિત્ત બને તો સહકાર નો સરવાળો થઈ જાય કોઇ આગળ પાછ ઉપરનીચે ન રહે ..માણસ એકલો રહી શકતો નથી અને બીજો આવતા ભય ઊભો થાય છે બીજાનું બીજાપણું કાઢવા ધરમે રસ્તો બતાવ્યો પણ ઈતિહાસનો અભ્યાસ કહે કે ધર્મે ભેદ વધાર્યા ભીતો ઊભી કરી અને ફેઈલ ગયો છે..અમારામાં આવું છે ને તમારામાં આવું છે પણ લોહી પણ સહુનું લાલ છે આ વાત વિસરી તે રક્ત કેમ વહેવડાવે છે..?. તે શાસ્ત્રોને આગળ કરી શસ્ત્ર ઉગામે છે પણ પોતાના મનમાં ખોપડીમાં શું છે તે આત્મનિરિક્ષણ કરે તોવાંચે તો ? સૂચક છે ગીતાનો અધ્યાય અગિયાર..જેમાં વિશ્વરુપ દરશન પ્રભુ અરજુનને ( અરજુન અર્થાત જે સરળ છે તે ) બતાવે છે..જો દ્રુશ્તી મળી જાય તો આ આ વિશ્વ તેનું રુપ છે પ્રેમનું સ્વરુપ છે તેમ લાગે નહિ તો..શુભેચ્છા કુ ઈચ્છા થઈ જય કે ..બસ થયુ દશ હવે તું લઈ લે અહીથી. મને એકલાને જ દુઃખ કેમ ?….તેરી દુનિયામે જી લગતા નહી.. વાપસ બુલા લે..પણ દૈવી અને વિધાયક સમજ આપણા સહુના જીવનમાં આવે અને જીવન દિવ્ય ભવ્ય ધન્ય બને તેવી જ ભાવના સાથે..
હેપી ન્યુ ઈયર ટુ ઓલ વીથ ડીવાઈન લવ.