સ્વર-દિલીપ ગજજર, સંગીત-નારાયણ ખરે, કોરસ સ્ટૂડીઓ

 


મિત્રો, લાડીલા આદિલ મન્સૂરી

આપણને મળ્યા, ૧૮ મે ૧૯૩૬ થી ૬ ઠ્ઠી નવેમ્બર ૨૦૦૮ સુધી

આજના દિવસે તેમને  ગઝલાંજલિ અર્પણ કરીએ

અને તેમની યાદમાં જ તૈયાર થયેલ ઓડીયો રજુ કરું છું….

તો ચાલો સાંભળીએ તેમની એક જોરદાર ગઝલ !!!

લાગણીને આમ ના વિસ્તાર વચ્ચે આવશે…


લાગણીને આમ ના વિસ્તાર વચ્ચે આવશે

આપણા  હોવાપણાનો ભાર વચ્ચે આવશે

આંગણુ  સંબંધનું કોરુ  રહી જાશે અગર

એક દિ વરસાદ મૂશળધાર વચ્ચે આવશે

વચ્ચેની  દિવાલ  કેવી   પારદર્શક   છે  હજી

પણ સમય વિત્યે સમયનો ક્ષાર વચ્ચે આવશે

તું બધું છોડીને ચાલી તો નીકળ પહેલા પછી

ડગલે  ને  પગલે ભર્યા ભંડાર વચ્ચે  આવશે

કોના કોના આંગળાની છાપ છે ગરદન ઉપર

દોસ્તોના   નામ   વારંવાર   વચ્ચે   આવશે

આ ગઝલના આયનાઘરમાં કદમ મૂકો અને

ગુર્જરી  સોળે  સજી શણગાર વચ્ચે  આવશે

આ ગઝલ ’આદિલ’ હ્દય સોંસરવી ઉતરી જાય પણ

પંડિતોને  પાઘડીનો  ભાર  વચ્ચે  આવશે


આદિલ મન્સૂરી

આપણને મળ્યા ૧૮ મે ૧૯૩૬ થી ૬ ઠ્ઠી નવેમ્બર ૨૦૦૮ સુધી

આપણી ગુજરાતી ભાષાના માતબર આધુનિક ગઝલકાર જેણે ગુજરાતી ગઝલને ઉર્દૂ ગઝલોથીયે એક મુઠ્ઠી ઉચેરું સ્થાન અપાવ્યું એવા આપણા સૌના લાડીલા ગઝલકાર આદિલ મન્સૂરી જે આજે આપણી વચ્ચે નથી અને આ મહિનાની છ્ઠ્ઠી તારીખે એમની મરણતીથિ આવી રહી છે ત્યારે આપણી નૈતિક ફરજ બની રહે છે કે આપણે એમને સ્મરી લઈએ.વર્ષોથી આદિલ સાહેબનું અહીં ઈન્ગલેન્ડનું આગમન અહીંના કવિમિત્રો માટે એક અનેરા અવસર સમું હતુ. હું અને લેસ્ટરસ્થાયી મારા કવિમિત્ર દિલીપ ગજ્જર એમને એરપોર્ટ રિસીવ કરવા જતાં, અને આદિલ સાહેબ જેવા કારમાં બેઠક જમાવે કે પ્રથમ તરત પોતાની નહિ પણ અમારી ગઝલોની ખબર અંતર પૂછે પછી આખો માહોલ ગઝલમય બની જતો સો માઈલનો એમ વન રાજ્માર્ગ ક્યાં કપાઈ જતો તેનો ખ્યાલ સુદ્ધાં રહેતો ન હતો, અહીં યુ.કે.ના સહાયકોને ખૂબ પ્રેમપૂર્વક ગઝલપૂર્વક મળે મળે, સાંભળે ને લખનવી અંદાજ્માં દાદ પણ આપે. આમ એમના વારંવાર બ્રિટનના આગમનથી ઘણાં નવોદિતોને ગઝલ લખવાની પ્રેરણા મળી અને ગઝલસર્જન ની પ્રક્રિયા ચાલુ રહીછે. આ બધું એમનું પ્રદાન ફૂલીફાલી રહ્યું છે પરંતુ અફસોસ એ વાતનો કે હવે આપણી વચ્ચે એ ગઝલના ધુરંધર નથી. હવે એની ગઝલોના પડઘા કાને પડતા રહેશે પરંતુ ગુજરાતને હવે શાયદ આવો ગઝલકાર મળે ન મળે…..તો મિત્રો, એમની ગઝલને અંજલિરુપે કવિશ્રી દિલીપ ગજ્જરના સ્વરમાં સાંભળીઅએ,……લાગણીને આમ ના વિસ્તાર વચ્ચે આવશે, આપણા હોવાપણાનો ભાર વચ્ચે આવશે

-બેદાર લાજપુરી,

જેઓ અચ્છા શાયર છે અને લેસ્ટર ગુજરાતી લિટરરી ગ્રુપ ઓફ લેસ્ટરના પ્રેસિડન્ટ પણ છે તેઓને આજે આદિલજિની અંજલીનો પરિચય આપ્યો યુટ્યુબની સમયમર્યાદાને કારણે તેમનો અવાજ ન મૂકી શકાયો તે દરગુજર કરશો…

A poet friend

શ્રી પંચમ શુક્લ સાભાર આપે મોકલેલ શ્રી રાજેન્દ્ર શુક્લના બે સોનેટ તેમના કવિમિત્ર આદિલ સાહેબ માટે રજુ કરુ છું

http://mail.google.com/mail/?hl=en&tab=wm#inbox/124c9b3c6506edf3

આદિલ સાહેબની સ્મૃતિમાં -

અર્ઘ્ય 1 *
(સોનેટ)

હે  અગ્રયાયી પથ,  હે પ્રકાશ, 
સાતત્ય  કેવું  સર્જ્યું  અનન્ય,
જેનાં થકી આજ બધું ય ધન્ય,
માધુર્ય  હે,  મૂર્તિમતી  મીઠાશ !

ઊર્જા  હજી એમ જ  આજ અદ્ય,
પ્રજ્ઞા  પ્રવાહી  વળી  કેવી સદ્ય,
બધું   ય  જેનું  બસ  હૃદ્ય  હૃદ્ય,
ક્યારે ય  એ નહિ   ઓઝપાય !

ગોળાર્ધ જે અન્ય વસ્યું છતાં ય 
શ્વસ્યું  સદા  આંહિ, ન અંતરાય,
પ્રત્યક્ષ  એવું,   પળમાં  પમાય,
એકાંત  એ  મૌન  મહીં  સમાય.

અનશ્વરે  તો  નવ  હોય   અંત, 
તમે  હવે   વ્યાપક   દીપ્તિમંત….

 

રાજેન્દ્ર શુક્લ

 

(*આદિલ સાહેબને… 7.11.2008)

અર્ઘ્ય – 2
(સોનેટ)

ઊગ્યાં તમે ભીતરને પ્રતાપ, 
ઐશ્વર્ય એવે પ્રસર્યાં અમાપ, 
સુહાય જેવું નભ ઈન્દ્ર ચાપ !

અભૂતપૂર્વા ગતિ જે લહાય, 
યાત્રા તમારી જ્યહીં પૂર્ણ થાય, 
આરંભ ત્યાંથી જ નવા રચાય !

દેખાડ્યું એવું સહુને યથાર્થ, 
અનર્થથી ભિન્ન કર્યું જ સાર્થ, 
તમારી સંગે સઘળું કૃતાર્થ !

લહેરી રહ્યો જે અહીં કુંજ કુંજ, 
શાશ્વત તમે એહ પ્રકાશ પુંજ, 
શબ્દો શમે કિંતુ શમે ન ગુંજ…

કેડો હતો તે કીધ રાજમાર્ગ
એમાં વળી રમ્ય રચ્યો વળાંક !

- રાજેન્દ્ર શુક્લ

(*આદિલ સાહેબને… 11.11.2008)

Adil-Male-Chhe-2

Self Publicity copy


પરસેવો  બિચ્ચારો  રઘવાયો  થઈને  ભલે ચહેરા પર આમતેમ દોડે !

માઈક મળે તો કોઈ છોડે ?


નાના અમથા એ ટીંપા શું જાણે ? આ ભાષણ શું કરવાની ચીજ છે ?

આકાશે ચાંદો છે,  ચાંદામાં  પૂનમ  ને  પૂનમના  પાયામાં  બીજ છે

વિષયમાં એવો તો ફાંફે ચડે ને તોય તંતુને આમતેમ  જોડે.

માઈક મળે તો કોઈ છોડે ?


ઉધરસ ને નસકોરા રમત્યે ચડે ને એ ય બગ્ગાસા વ્હેચાતા ભાગમાં

કંટાળો જાણે કે આખ્ખુ  કુટુમ્બ લઈ ફરવા આવ્યો ન હોય બાગમાં

તાજા ઉઘડેલ એક વક્તાને  ડાળીએથી ખંખેરી ખંખેરી તોડે.

માઈક મળે તો કોઈ છોડે ?


છેલ્લી બે વાત, એવું  કાનમાં  પડે ને કંઈક શ્રોતામાં જીવ પાછા આવે

છેલ્લી, છેલ્લી છે એમ બોલી બોલીને પાછો આખ્ખો કલાક એક ચાવે

સાકરના ગાંગડાને કચકચાવીને જાણે પકડ્યો હો ભૂખ્યા મંકોડે.

માઈક મળે તો કોઈ છોડે ?


કૄષ્ણ દવે


મિત્રો, આજે  સૌને માટે લાભ પાંચમ  ઈશ્વર માટે સા તુ પરમ પ્રેમ સ્વરુપા ચ..કહેવાયું છે માટે પ્રેમ પાંચમ પણ ખરીને ?

તો તમને મારી એક ગઝલ સંભળાવું છું શ્રી હસમુખ ગોહીલ ના સુમધૂર કંઠે આપના પ્રતિભાવની મીઠી પ્રતિક્ષા સહ

પ્રેમ છે તે તું જ છે …

ચંદ્રમા  વધતો  રહે  ને  ચંદ્રમાં  ઘટતો  રહે

પ્રેમ એવો આપનો છે જે સતત વધતો રહે

એક તારી ડાળ  પરથી  મોરનો  ટહુકો ઊઠે

હું મટી ને તું હી તુ હી નામ બસ રટતો રહે

લાખ  જન્મોની  સફરમાં નાવ કિનારો ચહે

પ્રેમમાં  તારા  ડૂબેલો  સાગરો   તરતો   રહે

કૈક  ખોતા  કંક મળશે ભાવની આ સંપદા

જીન્દગીની આપદામાં તું સદા હસતો રહે

આંખથી  આસૂં નિતરતાં  ભાવભીના  દિલમહીં

દૂર  તનથી  તું  જતી  તો   પ્રેમ  પાંગરતો   રહે

પ્રેમ  છે  તે  તું  જ  છે  ને  તું જ છે તે પ્રેમ  છે

પ્રેમરુપે   તુજમહીંથી  તે   સતત   મળતો   રહે

હાં, પ્રિયાની  યાદમાં તો વિશ્વને ભુલી  ’દિલીપ’

રોજ  બસ  તેની  જ  ગઝ્લો ગાઈને ફરતો  રહે

-દિલીપ ગજજર

Tarakપરમ મિત્ર શ્રી, હસમુખ તારક જેઓ લેસ્ટરના સારા પરંતુ છૂપા ગાયક છે તે ઉપરાંત એચ.એમ. રેકોર્ડીંગ સ્ટુડીઓ પણ ધરાવે છે રેકોર્ડીગ એન્જીનીયર પણ અને ફોટોગ્રાફર પણ ખરા..એક કલાકાર તરીકે ઈર્શ્યારહિત પ્રસિદ્ધીપરાંગમુખ અને બહુમુખી પ્રતિભાધારક ખરા અર્થ્માં તારક છે..આ મળવા જેવા માણસને એકવાર મળશો તો ચમકી ઉઠશો… કલાકાર તરીકે બીજા કલાકારની કદર કરી બિરદાવવામાં પાછા નથી પડતા..આ ગઝલ તેમના જ ઓડીયો સંગ્રહ -દિલની વાતોમાં-થી સાભાર લેવાઈ છે. જે કોઈને તે જોઇતી હો તે તેમનો સંપર્ક સાધી શકે છે.આ ગઝલમાં તેમણે યુ.કેના નામાંકિત શાયરોની ૭ ગઝલ આવરી લીધી છે.



Posted by: Dilip Gajjar | October 17, 2009

બારમાસી સંદેશ

વિક્રમ સંવત ૨૦૬૬

મિત્રો, આપ સહુને નૂતન વર્ષના અભિનંદન સાથે બારમાસ વિષે સંદેશ આપતી રચના રજુ કરું છું

આશા છે આપ સહુને ગમશે.

બારમાસી સંદેશ

Barmasi Sandesh DG


દીપાવલિ ઉત્સવ સપ્તક નિમિત્તે સર્વે મિત્રોને લેસ્ટરર્ગુર્જરીના અભિનંદન !

Diwali-muktakદીપની જ્યોતે તમસ ભાગી જશે

સૂર્યનું સંતાન  પથ  ભાળી જશે

સાચવો જીવન સકલ અજવાળશે

છેડશો જો દીપ, સળગાવી  જશે

સત્યનો દીપક ગ્રહી લે રાતભર

પ્રાતઃકાળે મંજીલે પહોંચી જશે

પ્રેમભાવો દિલથી ચાલી જતા

રાગદ્વેષો ઘર પછી બાળી જશે

બંધ આંખે શીર પર આજ્ઞા ધરો

ભ્ર્ષ્ટ માર્ગે કોઈપણ વાળી જશે

ચૂપ રહી અન્યાય જો સહેતા રહો

વૃત્તિ રાવણિયા  બધે વ્યાપી જશે

રાત કાળી  જૂલ્મની લંબાઈ ગઈ

કૃષ્ણ   નરકાસૂરને    મારી  જશે

ભાઈ મારા, જો રહે લડતા સતત,

તે’દિને   દીપાવલિ  ચાલી  જશે

માનવી લાચાર ભૂખ્યો ના સૂએ

તે’દિને  દીપાવલિ  દીપી  જશે

વ્યાસ  ઉંચો સાદ દઈ  પોકારતાં,

કોઈ  તો હજ્જારમાં  જાગી જશે

વર્ષ  બેઠું  તું  કદી   ના  બેસતો,

જીન્દગી સંકલ્પ બદલાવી જશે

રાત આખી વાટ સંકોરી ’દિલીપ’

પૂર્વ-સંધ્યા   જોઈને  પોઢી  જશે

-દિલીપ ગજજરhappy-diwali1

May you be blessed with Happiness and well being to last thruogh the Year. Happy Diwali

Both Illustration  by Dilip Gajjar

autumn-leavesરંગ જો બદલાય છે

રંગ આવી જાય છે


પાન ખરતા જોઈને

ૠત કઈ સમજાય છે


તુંય પણ બદલાય જા

મોસમો બદલાય છે


ના પચેલા અન્ન સમ

જ્ઞાન પણ ગંધાય છે


ખુશ્બો ચારિત્ર્યની

ચોતરફ ફેલાય છે


તેજ ના હો તે જ નર

તેજથી અંજાય છે


છે ઈશુ ઉદાસ પણ

ગીત પંખી ગાય છે


કોયલો હિરો થતાં

રત્નમાં પંકાય છે


નાવ ડૂબી ગઈ છતાં

શિષ્ય તરતાં જાય છે


સંખ્યા પ્રમાણથી

સત્ય ક્યાં સમજાય છે


શીલના ઉપદેશથી

શીલ ક્યાં ઢંકાય છે


વાતમાં ને વર્તને

કાં જુદો વરતાય છે


‘દિલીપ’ અંતરદીપમાં

તે ઝલક દઈ જાય છે

-દિલીપ ગજજર

Posted by: Dilip Gajjar | September 29, 2009

દિલની વાતો-દિલીપ ગજજર

Anterdeep

દિલની વાતો

ક્યાં કવિની નાતજાતો હોય છે

એક તેનો શબ્દ નાતો હોય છે


એક   તેનો  એકડો   જો ઘુંટિયો

તો પછી ક્યાં રક્તપાતો હોય છે


ભાવતાલોની   કશી  પરવા નથી

પ્રેમીઓની દિલની વાતો હોય છે


દુનિયા  આખી  ચહે  જે  ઢુંઢવા

પામનારો  ગીત  ગાતો  હોય છે


ડર  કશો  ના  તૂટવાનો  હોય તો

તે જ થઈ તારક ચમકતો હોય છે


દિલતણો રાજા જગે જે થઈ ગયો

વંશ  માટે ક્યાં ભટકતો હોય છે ?


-દિલીપ ગજજર


Hasan DG

જ્ગતમાં ખુનામરકીઓ હવે બંધ થાય તો સારું

ને માનવમાં બધે ભાઇચારો જો ફેલાય તો સારું

જગતના ખૂણેખૂણામાં વહે છે લોહી માનવનું

‘હસન’ એવી ખબર દરરોજ ના સંભળાય તો સારું

ગઝલ

યાદ આવે જ્યારે માતા આંખ પણ થમતી નથી

શોધતાં પણ માની મમતા જગમહીં મળતી નથી

હું કદી બિમાર પડતો તે સમય તું એકલી

રાત આખી જાગીને તું આહ પણ ભરતી નથી

મા નથી જેની જગતમાં તેને જઈ પૂછો જરા

શોધે છે નિજ માને દિકરો મા હવે જડતી નથી

મગફેરત તું માની કરજે છે દુઆ આ લાલની

કરગરું છું દિલની અંદર જીભ કંઈ કહેતી નથી

માના ચરણોમાં  છે જન્નત વાત સાચી છે ‘હસન’

આમ કંઈ જન્નત મળે જે એટલી સસ્તી નથી

હસન ગોરા ડાભેલી, બાટલી

મિત્રો આજે બેટલી, યોર્કશાયરના એક કવિનું મુક્તક અને ગઝલ રજુ કરું છું. જનાબ હસન ગોરા ૨૭.૦૯.૨૦૦૯ના જગત છોડી ચાલી ગયા છે. ઘણાં વર્ષોથી સાથે મુશાયરામાં ભાગ લેતા કવિઓમાં આ દુઃખદ સમાચારથી શોકની લાગણી વ્યાપી ગઈ છે. તેઓ મોટેભાગે મુશાયરામાં તરન્નુમમાં પોતાની લાગણીસભર ગઝલો રજુ કરતા. સદગતને શાંતિપ્રાર્થના અને તેમના પરિવારને સાંત્વના. જગતના મંચ પર કોઈ યુ ટર્ન નથી મુશાયરા થતા રહેશે તેમની યાદ ભૂલાશે નહિ.

તા. ૧૧મી ઓગષ્ટના બેટલીના મુશાયરો તેમના માટે આખરી યાદરુપ બની રહ્યો.
જમણી બાજુથી બીજા ક્રમે જ. હસન ગોરા, દિલીપ ગજજર, અહમદ ગુલ, બેદાર લાજપુરી,અન્જાન પછી શબ્બીર કાજી અને સેવક આલીપુરી ઉભેલ છે.

Posted by: Dilip Gajjar | September 21, 2009

ખુદ્દાર થઈને જીવો…

છે દિવાલીમાં અલી રમાદાનમાં શ્રી રામ છે

સૃષ્ટીકર્તાનો  વિવિધતાથી  ભર્યો  દમામ છે !

-દિલીપ ગજ્જર

lilly

Integration

હવે નફરતનું આ વાદળ, હટી જો જાય તો સારું

પરસ્પર એકતા જેવું હવે જો થાય તો સારું

તમે ગોરા કે કાળા, એશિયન કે આફ્રીકન હો,

હરએકના લોહીનો રંગ લાલ છે સમજાય તો સારું


Gazal ખુદ્દાર થઈને જીવો

ગફલતને ફગાવી દો, બેદાર થઈને જીવો

છોડો આ હતાશાને, ખુદ્દાર થઈને જીવો


આ  માનવી  કુદરતનું છે  સર્વ શ્રેષ્ઠ  સર્જન

તેથી જ આ ધરતીનો, શણગાર થઈને જીવો


થઈ જાવ મિત્રો સામે, તો પુષ્પથી યે કોમળ

પણ દુશ્મનોની સામે, તલવાર થઈને  જીવો


આ પંથ છે અજાણ્યો,  અંધકાર ચોતરફ છે

અંધારા માર્ગે વીજનો ઝ્બકાર થઈને જીવો


જીવો જો રાખ થઈ જશો તો પવન પણ ઉડાડી દેશે

તણખો    બનીને    ઉઠો,    અંગાર  થઈને  જીવો

સિરાજ પટેલ ‘પગુથનવી’


Photo by Dilipગઝલ

તૂટે ચાંચો જ્યાં કેવળ શાસ્ત્રની વાતો બડી થાશે

ડુબી જા દિલના દરિયે પ્રેમના અક્ષર અઢી થાશે

વળી  જા  એકસોને એંસી અંશે અંતરયામિ  છે

ભટકવાથી  તો કેવળ  ટાંટિયાઓની  કઢી  થાશે

કરી  મોટો  અહં તે  સાંકળો  બાંધે છે  સત્તાની

કહો  એ કોણ છે જે તૂટતા દિલની કડી  થાશે ?

ડુબીને  ધ્યાનસાગરમાં  જરા  ફંફોળતા  સંભવ

તને  તળીયે પડેલાં સુખ તણી ચાવી મળી જાશે

તપેલી  ખોપડીમાં  શબ્દ પડતા છમ  કરી  ઉડે

અમસ્તી  વાતમાંથી  વાત  વધવાથી લડી જાશે

સબંધો   દિવ્ય  ક્યાં  છે  દર્પણે  પ્રતિબંબ  જૂઠ્ઠા  છે

‘દિલીપ’ નિજના ગણે છે તે જ તુજથી આથડી જાશે

-દિલીપ ગજજર

Older Posts »

Categories